Showing 61–64 of 64 results

  • સૂર્ય નમસ્કાર-Surya Namaskar

    ગુજરાતી જનતાની શારીરિક સંપત્તિ વિશેનો ખ્યાલ કરીને ગુજરાતમાં આવતાં વાર જ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત અનુસાર અમોને આ ‘સૂર્ય નમસ્કાર’ ના પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું મન થયું. આશા છે, કે ગુજરાતી જાણકાર જનતા એને વધાવીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવાને માટે ક્રિયાત્મક બનશે.
    હિંદના દેશીરાજાઓ પૈકી પ્રથમ જ પોતાની સ્વેચ્છાથી પ્રજાને સંપૂર્ણ જવાબદાર તંત્રની ભેટ આપનાર ઔંધ સ્ટેટનાં રાજાસાહેબ શ્રી બાળાસાહેબ પંત આ પુસ્તકનાં (મરાઠી-અંગ્રેજી) લેખક છે. જેનું ગુજરાતી જાણનાર જનતા માટે અમોએ સરળ ભાષાંતર કર્યું છે. રાજાસાહેબે પોતે પોતાનું સ્વાસ્થ્ય જાળવવાને અંગ્રેજી અને બીજી અનેક ઢબની કસરતો કરી. પરંતુ તેથી તેમને કંઈ જ ખાસ ફાયદો જણાયો નહિ; આથી આખરે તેમણે ‘સૂર્ય નમસ્કાર’ શરૂ કર્યા. અને જોતજોતામાં જ અજબ પ્રકારનું શરીર-સ્વાસ્થ્ય સંપાદન કર્યું. વળી એ વિષય પર તેઓ પારંગત બની એક સંગીન પુસ્તક પણ લખવાને ભાગ્યશાળી થયા. તેઓ શ્રી પોતાની પંચાસી વર્ષની ઉંમરે પણ દરરોજ નિયમિત ત્રણસો નમસ્કાર કરતા હતા. પોતાના રાજ્યની શાળાઓમાં ‘સૂર્ય નમસ્કાર’ ની પ્રથા બાળકો માટે ફરજીયાત પણ કરેલ છે. રાજ્યનાં વીસ હજાર વિદ્યાર્થીઓ દરરોજ શાળાની શરૂઆતમાં ‘સૂર્ય નમસ્કાર’ ના સમૂહ વ્યાયામ કર્યા પછી જ અભ્યાસ શરૂ કરે છે.
    અસલના વખતમાં આપણા ભારતવર્ષમાં પણ એકે એક યુવાન યાતો વૃદ્ધ પોતાનું શરીર સ્વાસ્થ્ય જાળવવાને નિયમિત ‘સૂર્ય નમસ્કાર’ કરતો. સદાશીવરાવભાઉ જેવા મહાન યોદ્ધાએ લડાઈનાં ચાલુ દિવસોમાં પણ પોતાના રોજના નિયમ મુજબ બારસો નમસ્કાર કરવાનું છોડયું ન હતું. અત્યારે ફક્ત હિંદમાં જ નહિ પરંતુ યુરો૫ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ‘સૂર્ય નમસ્કાર’ કરવામાં આવે છે. ઔંધનરેશ શ્રી બાળાસાહેબ પંતે અંગ્રેજીમાં પ્રગટ કરેલ ‘સૂર્ય નમસ્કાર’ નાં પુસ્તકની હજારો નકલ ઉપલા દેશોમાં ફેલાવો પામી છે.

    આ પુસ્તકમાં શરીરની સુદઢ પ્રકૃતિ માટે વ્યાયામની આવશ્યકતા, અને ખાસ કરીને ‘સૂર્ય નમસ્કાર’ નાં વ્યાયામનું મહત્વ ચિત્રો દ્વારા અને સૂચનાઓ મારફતે સંપૂર્ણ રીતે સમજાવેલું છે. આ ઉપરાંત ‘સૂર્ય નમસ્કાર’ કરવાથી શરીરનાં જુદા જુદા રોગોનો થતો નાશ, અને ‘સૂર્ય નમસ્કાર’ થી ફાયદો મેળવનાર વ્યક્તિઓનાં જાત અનુભવો પણ વર્ણવેલા છે. વૃદ્ધને વ્યાયામની શી જરૂર છે? એક વ્યક્તિને વ્યાયામની શી જરૂર છે?

    અને સમાજને શી જરૂર છે? તે અને વધુમાં વ્યાયામ કરનારે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ તે પણ આ પુસ્તકમાં ઘણું જ સરળ રીતે બતાવવામાં આવ્યું છે. વળી સ્ત્રીઓએ પણ ‘સૂર્ય નમસ્કાર’ ના વ્યાયામ યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવાથી શું શું ફાયદા થાય છે, તે પણ જાત અનુભવ સાથે આ પુસ્તકમાં બતાવ્યું છે. પુસ્તકનાં અંતમાં સૂર્ય નમસ્કારથી થતા બધા લાભો પણ જણાવવામાં આવ્યા છે.
    અત્યારનું માનવી જીવન ઘણું જ અનિયમિત, કૃત્રિમ, ધમાલિયું, જોઈતાં પોષક તત્વોવાળાં ખોરાક વગરનું અને અનેક રોગોથી, રોગીષ્ટ બનેલું છે આમ છતાં પણ જો દરેક વ્યક્તિ ખોરાકની બાબતમાં પોતાની જાતની સંપૂર્ણ પણે કાળજી લઈ સૂર્ય-પ્રકાશ અને ખુલ્લી હવાની મોજ માણી નિયમિત સૂર્ય નમસ્કાર કરશે તે ઉપલાં દુ:ખોથી બચી જઈ આયુષ્યવાન બની શકશે.
    આ પુસ્તકનો ઉપયોગ કરનાર વ્યક્તિઓમાં પૂરેપુરાં માર્ગદર્શન માટે અમોએ પ્રગટ કરેલ ‘સૂર્ય નમસ્કાર’ ના વ્યાયામ અંગેનું સૂચનાઓ સહિતનું ચિત્રપટ પણ અવશ્ય વધુ માર્ગદર્શક બનશે એવી ભાવના સહિત વિરમીએ છીએ.
      પ્રકાશક
    સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી
    જિ. વલસાડ

     70.00